Posts

Showing posts from January, 2026

નારણપોર પ્રાથમિક શાળામાં પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
  નારણપોર પ્રાથમિક શાળામાં પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો નારણપોર પ્રાથમિક શાળામાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ વિતરણ કાર્યક્રમ આનંદપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. પતંગ વિતરણના દાતા તરીકે કાર્તિકભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લા પાંચથી છ વર્ષથી સતત નારણપોર પ્રાથમિક શાળાના તમામ બાળકોને પાંચ–પાંચ પતંગ દાનમાં આપી રહ્યા છે. તેમની આ સેવાભાવી પ્રવૃત્તિથી બાળકોમાં ઉત્સવની ભાવના સાથે દાન અને સંસ્કારના મૂલ્યોનું સંવર્ધન થાય છે. શાળાના આચાર્ય શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ સહિત શાળા પરિવાર દ્વારા કાર્તિકભાઈ પટેલના આ સરાહનીય અને નિઃસ્વાર્થ યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને સામૂહિક ભાવના વિકસતી જોવા મળી હતી.

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
 ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપ...